સૌરાષ્ટ્રની સફર

"કાઠિયાવાડ માં કો'ક દિ ભૂલો પડ ભગવાન, 

 કો'ક દિ થા મારો મહેમાન,  

તને સ્વર્ગ ભૂલાવું શામળા."

girnar
ગીરનાર


સોરઠની ધરા જ કૈક એવી છે , પ્રવાસીઓને જોઈએ એ બધું જ મળી રહે . સૌરાષ્ટ્રની પ્રથમ ખાસિયત એ છે કે અહી કોઈ માણસ ક્યારેય ભૂખ્યો સુતો  નથી . લગભગ દરેક શહેરમાં ફ્રી અન્ન્ક્ષેત્ર છે જ્યાં કોઈ ભેદભાવ વગર બધાને પ્રેમથી જમવાનું પીરસાય છે . વીરપુરનું જલારામબાપાનું મંદિર (કદાચ એકમાત્ર મંદિર કે જ્યાં લોકો પાસે થી કોઈ પણ પ્રકાર નું દાન લેવામાં આવતું નથી ) હોઈ કે પરબનું ધામ , દક્ષિણ ભારતનાં મંદિરો થી સાવ જ ઉલટું  મફતમાં જમવાનું અને કોઈ "દર્શન લાઈન" માટે કોઈ પણ પ્રકારનાં ચાર્જીસ નહિ , બધાને સમાન ભાવે , પોતાની શ્રદ્ધા પ્રમાણે દર્શન કરવાની છૂટ . આ તો થઇ લોકોની ઉદારતાની વાત.

બાકી અમિતાભ ના "ખુશ્બુ ગુજરાત કી " માં ઘણા કાઠીયાવાડનાં  સ્થળો સામેલ છે જેમ કે સોમનાથ ,દ્વારકા ,ચોરવાડ ,ગીરનાર પર્વત ,ગીરનું જંગલ , સિંહો  અને ઘણું બધું . દરેક સ્થળે પહોચવાની ઉતમ વ્યવસ્થા છે અને રહેવા જમવાનું  તો સૌરાષ્ટ્ર માં પૂછવાનું જ નાં હોઈ !!  

સૌરાષ્ટ્ર પાસે જંગલ છે, મોટા વગડાઓ છે, ડુંગરો છે, લાંબો દરિયા કિનારો છે, ટાપુઓ છે , કિલ્લાઓ છે, ભવ્ય સાંસ્કૃતિક વારસો છે, લગભગ ફરવા માટે જોઈએ એ બંધુ જ છે. અહી એકતરફ મનમોહક લાંબો દરિયાકિનારો છે તો બીજી બાજુ નયનરમ્ય ઉંચા પર્વતો છે  વળી ગીરનું જંગલ અને ડાલામથ્થા સિંહો આકર્ષણ જન્માવે છે . ધાર્મિક સ્થળો તો લગભગ દરેક ગામો અને શહેરો માં છે સ્વામીનારાયણના  મંદિરો પણ બધે જ જોવા જેવા છે . દરેક સ્થળની પોતપોતાની વિશેષતા છે અને દરેક  પાછળ જોડાયેલી કહાની છે . ઝવેરચંદ મેઘાણી સાહેબ ની "સૌરાષ્ટ્ર ની રસધાર "  સૌરાષ્ટ્ર ની ઘણી છુપી લોકવાયકાઓ અને સત્ય કથાઓનો સંગ્રહ છે એક વાર વાંચી જો જો .(બુક ખરીદવા માટે => સૌરાષ્ટ્રની રસધાર (Saurashtrani Rasdhar))

પ્રકૃતિની ભેટ તો મળેલી જ છે સાથે સાથે સૌરાષ્ટ્રનું પાટનગર એવું " રાજકોટ " શહેર પણમાણવા  જેવું ખરું .  અહી જાતભાતની વાનગીઓ નો ટેસ્ટ કરો પછી જોવો . ફાફડા અને જલેબીથી તો સૌ વાકેફ જ હશો સાથે સાથે ઘૂઘરા , ભજીયા , ઢોકળા, જેવી અવનવી વેરાયટી પણ ખરી , પરંપરાગત ફૂડ માં ટોપ ઉપર આવે બાજરાના રોટલા અને ઓળો (આહ મોઢામાં પાણી આવી ગયું !!),  બાકી ફુલકા રોટલી , પૂરી , થેપલા વગેરે તો ખરા જ .
આ તો વાત થઇ રાજકોટ ની .

બાકી ગોંડલ , જામનગર અને જુનાગઢનાં રજવાડાઓ  નો ઇતિહાસ ઘણો જ રોમાંચક છે જેટલું  જાણીએ એટલું ઓછું . અત્યારે પણ ત્યાના મહેલો અને ઘણી કીમતી વસ્તુઓ જોવા માટે ઉપલબ્ધ છે . રાષ્ટ્રપિતા ગાંધીજી  નું જન્મ સ્થળ પોરબંદર તો કેમ કરી ને ભુલાય !! આ ઉપરાંત ભગવાન કૃષ્ણ જ્યાં વસ્યા હતા એ દ્વારિકા પણ ખરું. બાકી સાચી ખબર તો આ બધું જોવો ત્યારે જ ખબર પડે .
સોમનાથ



બાકી સાચા કાઠીયાવાડ ને જાણવા માટે તો ઝવેરચંદ મેઘાણી ની "સૌરાષ્ટ્ર ની રસધાર " એક વખત તો વાચવી જ પડે બાપુ . ( બુક ખરીદવા માટે => સૌરાષ્ટ્રની રસધાર (Saurashtrani Rasdhar) ).


6 ટિપ્પણીઓ:

  1. બ્લોગ સારો છે.અને ગીર તથા સોમનાથ વિષે વાંચવાની મજા આવી.

    જવાબ આપોકાઢી નાખો

Comment with Facebook

Blogger દ્વારા સંચાલિત.