તમને કેમ ખબર કે તમે જીવન નાં સાચા રસ્તે છો ?
આમ તો દરેક ની જિંદગી અલગ અલગ હોઈ છે, દરેક નાં પોતપોતાના વિચારો હોઈ છે , ધ્યેય હોઈ છે , મહત્વકાંક્ષા હોઈ છે. દરેક નાં જિંદગી જીવવા ના રસ્તા , તરીકા અલગ અલગ હોઈ છે. તો પણ તમને કેમ ખબર પડે કે તમે જે રસ્તે જઈ રહ્યા છો એ બરાબર છે ? તમે જે કઈ કરી રહ્યા છો એ બરાબર છે ?
"તમે રોજ રોજ શ્વાસ લો છો એ જિંદગી નથી પણ અમુક ક્ષણો માં ખોવાઈ ને તમે શ્વાસ લેવાનું ભૂલી જાવ તે સાચી જિંદગી છે"
- જય વસાવડા
તમે જિંદગી નાં સાચા રસ્તે છો જો
- સોસીયલ મીડિયા ની પોસ્ટ , કમેન્ટ વગેરે તમારી ઓરીજનલ જિંદગી માં મુડ ને અફ્ફેક્ટ નાં કરે..
- તમને ખુશ થવા માટે કોઈ વ્યક્તિ કે વસ્તુ ની જરૂર નાં પડે। જે છો એમાં ખુશ છોવો।
- જે કામ કરો છો એ છોડવા નું મન થતું નથી.
- તમને જરૂરિયાત , મહત્વાકાંક્ષા અને દેખાદેખી વચ્ચે ફર્ક ખબર છે
- તમને ભલે ખબર નાં હોઈ કાલ કેવી હશે પણ આજની દરેક ક્ષણે ક્ષણ માં જિંદગી જીવંત લાગે છે
- દિવસ ના એટલીસ્ટ તમે 20 કલાક ખુશ રહો છો
- તમારે પરાણે કોઈ કામ કરવું પડતું નથી કે કોઈ વ્યક્તિ સાથે પરાણે સારા સબંધો રાખવા પડતા નથી।
- તમે તમારા શોખ અને આનંદ માટે પૂરો સમય કાઢી શકો છો
- "આજ ભલે મારે કામ કરવું પડે પણ 10 વરસ પછી મારે જલસા જ જલસા હશે " એવું તમે વિચારતા નથી (એ 10 વરસ ક્યારેય નહિ આવે , જલસા કરવા હોઈ તો અત્યારે જ કરો )
- લોકો તમારા વિષે શું અભિપ્રાય રાખે છે એનાથી તમને કોઈ ફર્ક પડતો નથી.
- અમને ભવિષ્ય નો કોઈ ડર નથી .